અકસ્માતમાં મિત્રનું મોત થતા 20 વર્ષની દીકરીએ 2 પાનાની સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટમાં લખ્યું કે 'પપ્પા મારા માટે રડશો નહીં તમે...'

admin
0

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવન ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં હોસ્ટેલમાં રહેતી 20 વર્ષની વિદ્યાર્થીનીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ પગલું ભરતા પહેલા તેને બે પાનાની સુસાઇડ નોટ પણ લખી હતી.

મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીનું નામ પ્રિયા હતું અને તેની ઉંમર 20 વર્ષની હતી. શનિવારના રોજ બપોરના સમયે પ્રિયા પોતાના રૂમમાંથી બહાર નીકળી ન હતી અને તે કોઈના ફોન પણ ઉપાડતી ન હતી. જેના લીધે શનિવારના રોજ મોડી સાંજે પ્રિયાની બહેનપણી તેની રૂમમાં પહોંચી હતી. ત્યારે તેને અહીં પ્રિયાનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયું હતું. ત્યારબાદ તેને આ હોસ્ટેલ મેનેજમેન્ટ અને પ્રિયાના પિતાને કરી હતી.

આ ચોંકાવનારી ઘટના ઇન્દોર દોરમાંથી સામે આવી રહી છે. પ્રિયા ઇન્દોરની મહારાજા રણજીતસિંહ હોસ્ટેલમાં રહેતી હતી. મળતી માહિતી મુજબ પ્રિયા સાત મહિના પહેલા ઇંદોર ભણવા આવી હતી. પરંતુ ક્રિયા એ શનિવારના રોજ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ઢુકાવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પ્રિય પોતાના મિત્રના મૃત્યુ બાદ ખુબ જ દુઃખી રહેતી હતી અને તેના લીધે તેને આ પગલું ભર્યું છે. મૃત્યુ પહેલા તેને બે પાનાની સુસાઇડ નોટ લખી હતી.

જેમાં પ્રિયાએ જણાવ્યું હતું કે, હું પ્રિયા વિશ્વાસ છું, હું તને પ્રેમ કરું છું, મમ્મી પપ્પા, દાદી અને મારા નાના ભાઈ આયુષ. હું સોમને(પ્રિયા મિત્ર) ખુબ જ પ્રેમ કરું છું. હું સોમ વગર રહી શકતી નથી. હું સોમ ને મળ્યા વિના રહી શકતી નથી. મારે સોમ જોઈએ છે તમે બધા મને ખુબ જ મૂર્ખ કહેતા હશો અને બોલશો પણ. કારણ કે હું એક મોટી ભૂલ કરી રહી છું. હું ભૂલ નહીં પરંતુ ગુનો કરી રહી છું. પણ હવે સહન કરી શકું તેમ નથી.

વધુમાં સુસાઇડ નોટમાં પ્રિયાએ પોતાની બહેન વિશે લખ્યું હતું કે, મારા મૃત્યુ પછી બહેન તું રડતી નહીં. તારું અને કીર્તિ દીદીનું આ વખતે જરૂર સિલેક્શન થઈ જશે. ફક્ત તમારા અભ્યાસ પર ધ્યાન આપવું અને તમારા માતા પિતાની સારી સંભાળ રાખો. જો તું રડીશ તો સૌને કોણ સંભાળશે. હું આજ સુધી બોલી શકી નથી, આઈ લવ યુ દીદી. હું તને પ્રેમ કરું છું મમ્મી, આઇ લવ યુ પપ્પા. તમે હંમેશા હસતા રહેજો, તો મહેરબાની કરીને હસતા રહેજો અને મમ્મી તું મારી જિંદગી છો. આ ઉપરાંત તેને ઘણું બધું સુસાઇડ નોટમાં લખ્યું હતું.

પ્રિય સુસાઇડ નોટમાં લખ્યું હતું કે તેનો મૃત્યુ પામેલો મિત્રો તેના સપનામાં દરરોજ આવે છે. તે તેને ભૂલી શકતી નથી અને તે તેના વગર રહી શકતી નથી એટલે તે આ પગલું ભરી રહે છે. મળતી માહિતી મુજબ કહેવામાં આવી રહ્યું છે કે સોસાયટી નોટમાં જે મિત્રનો ઉલ્લેખ કર્યો છે તેનું થોડાક દિવસ પહેલા એક માર્ગ અકસ્માતની ઘટનામાં મૃત્યુ થઈ ગયું હતું ત્યારબાદ પ્રિયા ખુબ જ દુઃખી રહેતી હતી.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)